ભુજ, તા. 11 : અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની
કારોબારી બેઠક સુરેન્દ્રનગર ખાતે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ
અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી ગુજરાત વિધાનસભાના
નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતભરના
ટ્રાન્સપોર્ટ મિત્રો હાજર રહીને બેઠકમાં ચર્ચામાં ભાગ લીધો હતો પ્રમુખ સ્થાન સંબોધન
કરતા વાસણભાઇ આહીરે સમગ્ર ગુજરાતના ટ્રાન્સપોર્ટ મિત્રોને આપતાકાલિન સ્થિતિનો સામનો
કરવા માટે સજ્જ કરવા આહવાન કર્યું હતું દરેક જિલ્લાના વહીવટી તંત્રના સહયોગમાં રહીને
આપતી સમયમાં જેટલી ટ્રક જોઇએ એટલી ટ્રક દ્વારા આ શ્રેષ્ઠ નાગરિક તરીકે યોગદાન આપવા
અપીલ કરી હતી તેમણે પહેલગામમાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વાસણભાઇ આહીરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ
મોદી ગૃહમંત્રી અમિતભાઇ શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગુજરાતનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ
પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીને અભિનંદન આપતો ઠરાવ ..... કરાયો
હતો.