અંજાર, તા. 9 : તાજેતરમાં સાપેડામાં ભારતીય કિસાન સંઘ અંજારની બેઠક યોજાઈ હતી. જેમાં નવી કારોબારી રચના કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શામજીભાઈ મ્યાત્રા, જિલ્લા પ્રમુખ શિવજીભાઈ બરારીયા, જિલ્લા સહમંત્રી ભીમજીભાઈ કેરાસીયા ઉપસ્થિત રહયા હતા. અંજાર કિસાન સંઘના હોદેદારો કાર્યકાળ પૂર્ણ થતા તાલુકા પ્રમુખ અરજણભાઈ છાંગાએઁ કરાયેલા કામો ઉપર પ્રકાશ પાડયો હતો.નવા પ્રમુખ સહિતની કારોબારી માટે દરખાસ્ત બાદ નવા પ્રમુખ તરીકે રામજીભાઈ (ચનાભાઈ) મરંડ (સાપેડા)ની તથા મંત્રી દેવજીભાઈ ગુજરીયા (સુગારીયા), ખજાનચી મનસુખભાઈ લાખાણી (પ્રાંતિયા), ઉપપ્રમુખ હરિભાઈ મ્યાત્રા અને શંભુભાઈ જીવાભાઈ બોરીચાની વરણી કરાઈ હતી. કાર્યક્રમનું સંચાલન રાધુભાઈ મકવાણાએ અને આભારવિધિ દેવજીભાઈ ગુજરીયાએ કરી હતી.