ભુજ, તા. 9 : તાલુકાના મુખ્ય મથક ભુજમાં ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ આયોજિત હવન, શોભાયાત્રા, તેમજ માંડવી, દયાપરમાં પણ પરશુરામ ભગવાનની જન્મ જયંતી ઊજવાશે. માંડવી : તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તા. 10/5ની ઉજવણીરૂપે આઝાદ ચોકથી બગી, ઘોડા, ટ્રેક્ટર સાથે પરશુરામ ભગવાનની શોભાયાત્રા યોજાશે. ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, દેવાંગભાઇ દવે, અશ્વિનભાઇ શાત્રી ઉપસ્થિત રહેશે. બાળકો દ્વારા વેશભૂષા, એકપાત્રીય અભિનય, વાનગી હરીફાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. કર્મકાંડી બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરશે. મુકેશ જોષી, મુકેશ ત્રિવેદી, કેતન ઓઝા, ભાસ્કર મહેતા, આનંદભાઇ, દિપેશ જોષી, અલ્પેશભાઇ, પરેશ જોષી, ભૂપેન્દ્ર જોષી વિગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. દયાપર સમસ્ત બ્રહ્મસમાજ : તા. 10/5ના સાંજે 5.30 વાગ્યે કમલેશ્વર મહાદેવ મંદિર મધ્યે ઇષ્ટદેવ પરશુરામ ભગવાનની પૂજા, મહાપ્રસાદનું આયોજન. વિનોદભાઇ ગોર, નીલેશભાઇ જોષી, કિરીટભાઇ જોષી વ્યવસ્થા સંભાળી રહ્યાં છે.