• રવિવાર, 01 જૂન, 2025

ભારતમાં ઠલવાયું 14000 કરોડ રૂપિયાનું રોકાણ

નવી દિલ્હી, તા. 11 : પાકિસ્તાન વચ્ચે છેડાયેલા સીમિત યુદ્ધ વચ્ચે પણ ભારતીય શેરબજાર પર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોનો ભરોસો યથાવત્ છે અને રૂા. 14000 કરોડ ઠાલવ્યા છે. ભારતીય શેરબજારમાં મે સુધીમાં એફપીઆઈએ રૂા. 14167 કરોડનું રોકાણ કર્યુ છે. ભારતમાં સતત બીજા મહિને એફપીઆઈ ઈનફલો જળવાઈ રહ્યો છે.ડિપોઝીટરી આંક અનુસાર મે મહિનાના 11 દિવસમાં એફપીઆઈએ મોટું રોકાણ કર્યુ છે. આ રોકાણ એવા સમયે આવ્યું જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર હતો. વિદેશી રોકાણના વળતા પાણી વર્ષ ર0રપની શરૂઆતના 3 માસમાં થયા હતા. ત્યાર બાદ એપ્રિલમાં એફપીઆઈએ શેરબજારમાં 4રર3 કરોડનું રોકાણ કર્યુ હતુ જે મે મહિનાની શરુઆતમાં પણ ચાલુ રહ્યંy છે. તેમ છતાં 9મી મેના રોજ કારોબારી દિવસમાં 3798 કરોડની વેચવાલી જોવાઈ હતી. નવા વર્ષની શરૂઆત બાદ 3 માસમાં ભારતની નિકાસ સારી રહી હતી. ગત જાન્યુઆરીમાં એફપીઆઈએ 7807 કરોડની વેચવાલી કરતાં શેરબજારમાં મોટા કડાકા બોલ્યા હતા. બાદમાં ફેબ્રુઆરીમાં પણ 3474 કરોડ ખેંચી લીધા હતા. અમેરિકી ડોલરની નબળાઈ અને ચીની બજારની સુસ્તીને કારણે એફપીઆઈનું ધ્યાન ભારત તરફ છે જ્યાં ઝડપી જીડીપી ગ્રોથ અને ઘટતી મોંઘવારી તથા આકર્ષક પોલિસી રેટ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd