નવી
દિલ્હી, તા.
11 : પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ સમજૂતી લાગૂ થયા બાદ ભારતીય વાયુદળે એલાન કર્યુ
છે કે ભારતે આતંકવાદ વિરુદ્ધ છેડેલું ઓપરેશન સિંદૂર યથાવત્ છે. સમય આવ્યે વધુ વિગત
જાહેર કરાશે. યુદ્ધવિરામ જાહેર થયા પછીયે નાપાક હરકતો જારી છે ત્યારે આજે વડાપ્રધાનના
આવાસે મોદીની ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તેમજ સેના, વાયુદળ અને નૌકાદળના વડાઓ સાથે
બેઠક યોજાઈ હતી અને પછી વાયુદળે આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર
માહિતી આપતાં એરફોર્સે લખ્યું હતું કે, ભારતીય વાયુદળ ઓપરેશન
સિંદૂરમાં પોતાના નિર્ધારીત કાર્યોને સચોટતાથી અને વ્યવસાયિક રીતે સફળતાપુર્વક અંજામ
આપ્યો છે. ઓપરેશન રાષ્ટ્રીય ઉદ્દેશોને અનુરુપ સમજી વિચારીને વિવેકપૂર્ણ રીતે ચલાવવામાં
આવ્યું છે. કારણ કે, ઓપરેશન હજુ ચાલુ છે, એટલે યોગ્ય સમયે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. જે સાથે એરફોર્સે તમામ પ્રકારની
અફવાઓ અને અટકળોથી દૂર રહેવા અપીલ કરી છે. રરમી એપ્રિલે પહેલગામમાં બર્બર આતંકવાદી
હુમલામાં ર6 નિર્દોષ પ્રવાસીની હત્યા કરાયા બાદ ભારતે હાથ
ધરેલાં ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન અને પીઓકે સ્થિત નવ આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કરી
દેવાયા હતા.