નવી દિલ્હી તા.11 : પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ સમજૂતી લાગૂ થયા
બાદ વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના પ્રમુખો સાથે રવિવારે ઉચ્ચસ્તરીય બેઠક
યોજી હતી. બેઠકમાં કથિત રુપે વડાપ્રધાન મોદીને યુદ્ધવિરામ બાદની સ્થિતિ અંગે માહિતગાર
કરાયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની દરમિયાનગીરી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે
છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા સશત્ર સંઘર્ષમાં વિરામ આવ્યો
છે. બંન્ને દેશ તરફથી એકબીજાને નિશાન બનાવવાનું બંધ કરાયું છે.