• રવિવાર, 01 જૂન, 2025

ત્યાંથી ગોળી ચાલશે તો અહીંથી ગોળા વરસશે

નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે તંગદિલી ઘટાડવાની સમજૂતી પર ચર્ચા સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સને સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન છમકલું પણ કરશે, તો આ વખતે તેનો જવાબ વધુ કડક અને વિનાશકારી રહેશે. પી.એમ.એ સશત્ર દળોને સ્પષ્ટ કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી, ત્યાંથી જો ગોળી છૂટશે તો અહીંથી ગોળા વરસશે. આ જાણકારી સરકારી સૂત્રોએ આજે આપી હતી. વડાપ્રધાન મોદી બાદ વેન્સે પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સાથે વાત કરી હતી અને તે પછી ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જયશંકરને જણાવ્યું હતું કે, તેમના ફોનનો હેતુ કોઇ `િવકલ્પ નિકાસી' પર ચર્ચા કરવાનો નથી. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, જે.ડી. વેન્સે ફોન કરીને પીએમ મોદી સાથે વાત કરી હતી. વડાપ્રધાને તેમને જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન હુમલો કરશે, તો અમે વધુ મજબૂતીથી તેનો જવાબ આપશું. સૂત્રો અનુસાર ભારતે વાતચીત દરમ્યાન એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો પાકિસ્તાન ગોળીબાર નહીં કરે તો તે પણ સંયમનું પ્રદર્શન કરશે. દરમ્યાન, સૂત્રોએ કહ્યું હતું કે, ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ કર્યો છે અને સ્પષ્ટ કર્યું હતું કે, કોઇ પણ ઉશ્કેરણીનો તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd