• સોમવાર, 20 મે, 2024

59.49% ગુજરાતમાં ચારથી પાંચ ટકા ઓછું મતદાન

અમદાવાદ, તા. 7 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં લોકસભાની સુરત બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ આજે મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5ાંચ બેઠક માટેની પેટા ચૂંટણી સાંજના વાગ્યા સુધીમાં કેટલીક છૂટક ઘટનાઓ-ફરિયાદોને બાદ કરતાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયા મુજબ સાંજના 5ાંચ વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 59.49 ટકા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સરેરાશ 56.56 ટકા મતદાન થયું હતું. મતદાનની આખરી ટકાવારી મોડી રાતના જાહેર કરવામાં આવી હતી. વખતની ચૂંટણીમાં 18થી 19 વયજૂથના 12.20 લાખ પ્રથમવારના મતદારો સહિત કુલ 4,97,68,677 મતદાર મતદાન માટે તૈયાર કરાયેલાં 50,787 જેટલા મતદાન કેન્દ્ર ઉપર મતદાન કરવાના હતા, જે પૈકી 55.22 ટકાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાંની સાથે લોકસભાની 26 બેઠક માટેના કુલ 266 ઉમેદવાર અને વિધાનસભાના કુલ 24 ઉમેદવારના ભાવિ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં કેદ થઈ ગયાં હતાં. ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને દેવાસિંહ ચૌહાણ પણ ઉમેદવાર હતા. હાલને તબક્કે સૌથી વધુ 68.12 ટકા મતદાન વલસાડમાં થયું છે, જ્યારે સૌથી ઓછું 45.59 ટકા મતદાન અમરેલીમાં નોંધાયું છે. ગુજરાતમાં ગત 2019ની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ 64.51 ટકા મતદાન થયું હતું, તે ઘણું ઓછું મતદાન થયું છે, જે સામાન્ય રીતે સત્તાધારી ભાજપને ચિંતા કરાવનારો છે. મતદાનનો સમય પૂરો થયા બાદ પ્રિસાઈડિંગ ઓફિસરોએ ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમને સીલ કરીને કડક જાપતા હેઠળ સ્ટ્રોંગરૂમમાં મોકલાવીને સ્ટ્રોંગરૂમને પણ સીલ કર્યા હતા, તે સ્થળે પણ કડક બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. હવે, ચોથી જૂને મતગણતરી હાથ ધરાશે, ત્યારે પરિણામની સત્તાવાર જાણ થશે. જો કે, ગત 2014 અને 2019ની સરખામણીમાં વોટિંગની ટકાવારીમાં ઘટાડો થયો હોવાથી ભાજપે અંદરખાનેથી એકાદ-બે બેઠક મુશ્કેલીમાં મૂકાય કે લીડમાં મોટો ઘટાડો થાય તેવી દહેશત વચ્ચે હાલને તબક્કે તો રાજ્યની તમામ બેઠકો મોટી લીડ સાથે જીતવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ પણ કોઈપણ લહેર વગર લડાયેલી ચૂંટણીમાં ઓછું મતદાન ઘણી બેઠકો ઉપર તેમના માટે લાભકર્તા સાબિત થશે એવી આશા વ્યક્ત કરી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે,  સાત મે મંગળવારે મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણીપંચ દ્વારા આઠ એલર્ટ મળી હતી, જેમાં ઈવીએમ અંગેના ત્રણ એલર્ટ, આદર્શ આચારસંહિતા ભંગની એક તથા અન્ય ચાર એલર્ટ હતી. સી-વીજીલના માધ્યમથી મતદાનના દિવસે 186 તથા આદર્શ આચારસંહિતા સમયગાળાની શરૂઆતથી પ્રિ-પોલ ડે સુધીમાં કુલ 5,118 ફરિયાદ મળી કુલ 5,315 ફરિયાદ મળી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે, જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે. રાજ્યના 25,000 જેટલા મતદાન મથક ખાતેથી વેબ કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં ફરિયાદો મળી હતી, તે મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલિંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ નિષ્ઠાથી ફરજ નિભાવી છે, તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો. - એક કર્મચારીને ઈજા, એક મહિલા કર્મચારીઓનું નિધન : રાજ્યમાં બનેલી કેટલીક દુ:ખદ ઘટનાઓ મુજબ, રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઈક અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.  રાજ્યના 25 સંસદીય મતવિભાગના 49,140 મતદાન મથક પૈકી 1,820 મતદાન મથકમાં બે ઇઞતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન દરમ્યાન સાંજના 5ાંચ વાગ્યા સુધીમાં 116 એટલે કે  0.23 ટકા ઇઞ, 114 એટલે કે 0.23 ટકા ઈઞ અને 383 એટલે કે 0.78 ટકા વીવીપેટ બદલવામાં આવ્યા હતા. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે, જે-તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા, જ્યાં પણ નાની-મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં ત્વરિત ઈવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang