• રવિવાર, 01 જૂન, 2025

બાઇક અકસ્માતમાં એએસઆઇના મોતમાં આરોપી કોન્સ્ટેબલને સજા હુકમ

ભુજ, તા. 20 : સાત વર્ષ પૂર્વે તા. 8-10-18ના સરપટ નાકે નાગનાથ મંદિર રોડ પર રોંગસાઇડમાં પૂર ઝડપે બાઇક હંકારી સામેથી બાઇક પર આવતા એએસઆઇને ટક્કર મારતા તેનું મૃત્યુ નીપજાવાના ગુનામાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ નરશીંભાઇ ઝાલાને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ ફટકારી છે. આ અકસ્માતનાં બનાવમાં પ.કચ્છમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ભુરાભાઇ વિછીયાભાઇ વલવાઇનું ગંભીર ઇજાના પગલે મૃત્યુ નીપજ્યું હતું. આ કેસમાં ભુજના પાંચમાં અધિક જ્યુ. મેજિ. હાર્દિક બારડે 16 સાક્ષી અને સાત દસ્તાવેજી આધાર-પુરાવા અને બંને પક્ષોની દલીલો બાદ કલ્પેશને દોષરઇંાu ઠેરવ્યા હતા. કલમ 304-એ હેઠળ એક વર્ષની સાદી કેદ અને એક હજાર રૂપિયાનો દંડ, 279 હેઠળ ત્રણ માસની સાદી કેદ અને 500 રૂપિયાનો દંડ અને મોટર વ્હીકલ એકટની કલમ 184 અને 177 હેઠળ એક માસની કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે ધારા શાત્રી કે.પી. ગઢવી, પી.ડી. ખુંગલા અને બી.જે. ભાનુશાલી હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સજા પામનાર કોન્સ્ટેબલ કલ્પેશ હજુ ગત તા. 16મેના રાત્રે નલિયામાં દારૂ પીને ધતીંગ કરતા પોલીસે પકડી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd