• રવિવાર, 01 જૂન, 2025

નાની નાગલપરમાં પરિણીતા પર બળાત્કાર અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાના નાની નાગલપરમાં રહેનાર એક પરિણીતા ઉપર વારંવાર બળાત્કાર ગુજારનારા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના નાની નાગલપરમાં વાડીમાં તેમજ જુદી-જુદી જગ્યાએ આ બનાવ બન્યો હતો. બનાવ અંગે મૂળ ભુજ તાલુકાના બેરડો ગામના હાલમાં સિનુગ્રા સીમમાં રહેનાર ઉમેદ હુશેન ખાસકેલી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. વાડી વિસ્તારમાં રહેનાર એક યુવાન પરિણીતા સાથેના સેલ્ફી ફોટા, રેકોર્ડિંગ વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપી આ શખ્સે પરિણીતા સાથે વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. આ કૃત્યને અંજામ આપનારા આ શખ્સે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd