ગાંધીધામ, તા. 11 : શહેરના મહેશ્વરી નગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર દિવ્યાબેન દેવરાજ
ધેડા (મહેશ્વરી) (ઉ.વ. 22)એ
ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. શહેરના મહેશ્વરીનગર નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં
રહેનાર દિવ્યાબેન નામની યુવતીએ ગઈકાલે પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવતી
પોતાના ઘરે હતી તે દરમ્યાન પંખામાં દુપટ્ટો બાંધી અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઈ
પોતાનો જીવ દીધો હતો. આ યુવતીએ કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.