• મંગળવાર, 21 મે, 2024

પત્ની ચાલી જતાં મિરજાપરના યુવાને ફાંસો ખાઇ જીવ દીધો

ભુજ, તા. 30 : પતિ-પત્નીના ઝઘડાને લઇ પત્ની ચાલી જતાં તેના મનદુ:ખમાં પતિ એવા મિરજાપરના 23 વર્ષીય યુવાન જેન્તી મેઘજી કોલીએ ફાંસો ખાઇ જીવ દઇ દીધાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મિરજાપરના અંબાજી મંદિર પાસે રહેતા જેન્તી કોળીએ આજે બપોરે તેના ઘરે પંખામાં બારીમાં બાંધવાના ઓછાડ વડે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર અર્થે તેના કાકા હિતેશ હમીર કોળી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવેલી વિગતો મુજબ પતિ-પત્નીના ઝઘડનાના લીધે પત્ની ચાલી જતાં જેન્તીને મનમાં લાગી આવતાં અંતિમ પગલું ભર્યું હતું. અંગે -ડિવિઝન પોલીસને જાણ કરાઇ?છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang