રાજકોટ/મુંબઇ,
તા. 9 : ભારત
અને દક્ષિણ આફ્રિકા એ ટીમ વચ્ચેની ત્રણ વન ડેની શ્રેણી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ
પર નવેમ્બર મધ્યે રમાશે. અગાઉ આ વન ડે શ્રેણી બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ
ખાતે રમાવાની હતી. હવે બીસીસીઆઇએ આજે સ્થળ ફેરફાર કરી આફ્રિકા-ભારતની એ ટીમ વચ્ચેની
આ ત્રણ મેચની વન ડે શ્રેણી રાજકોટમાં રમાશે તેવું જાહેર કર્યું છે. બેંગ્લુરુમાં મહિલા
વિશ્વ કપના લીગ મેચ અને ફાઇનલ રમાવાની છે. રાજકોટમાં ભારત-આફ્રિકા એ ટીમ વચ્ચેના ત્રણ
વન ડે મેચ 13, 16 અને 19 નવેમ્બરે રમાશે. આ ત્રણેય મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં
ફ્રી એન્ટ્રી મળશે. બીસીસીઆઇએ જાહેર કર્યું છે કે, ભારત-વેસ્ટ ઇન્ડિઝ
વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ હવે કોલકતાના બદલે દિલ્હી ખાતે રમાશે,
જ્યારે ભારત-આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ દિલ્હીના બદલે કોલકતા ખાતે
રમાશે. આ મેચનું આયોજન 14થી
18 નવેમ્બર દરમિયાન થયું છે. બીસીસીઆઇએ આ ફેરફાર આવતા
વર્ષે રમાનારા ટી-20 વિશ્વ કપ અને આ વર્ષે રમાનારા
મહિલા વન ડે વિશ્વ કપની તૈયારીને ધ્યાને રાખીને કર્યાં છે.