નવી દિલ્હી, તા. 9 : ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદીઓને આશારો આપી રહેલા પાકિસ્તાન પરના ભારતના
હુમલાને ખેલ હસ્તીઓ પણ બિરદાવી રહી છે. જુદી જુદી રમતના ખેલાડીઓ દેશના જવાનોનો જુસ્સો
વધારી રહ્યા છે. વિરાટ કોહલીએ કહ્યંy છે કે આ કઠિન સમયમાં આપણે બધા દેશના જવાનો સાથે ઉભા છીએ. અમે આપણા નાયકોની
અતૂટ બહાદુરી માટે હંમેશા ઋણી રહેશું. આપણા મહાન રાષ્ટ્ર માટે તેમના પરિવાર દ્રારા
અપાયેલ બલિદાનો માટે હાર્દિક આભાર વ્યકત કરીએ છીએ. જયહિન્દ. જયારે રોહિત શર્માએ જણાવ્યું
કે આપણે દરેક ક્ષણે ભારતીય સેના સાથે છીએ. તેઓ પર ઘણો ગૌરવ મહેસૂસ થાય છે. આપણા યોધ્ધા
દેશના ગૌરવ માટે લડી રહ્યા છે. દરેક ભારતીયની ફરજ છે કે તેઓ ખોટા સમાચારો અને અફવાઓથી
દૂર રહે. તમામ સુરક્ષિત રહે. ઓપરેશન સિંદૂર
પર વિરાટ અને રોહિતની આ પહેલી પ્રતિક્રિયા છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર
ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરાએ એકસ પર પોસ્ટ મુકી છે કે આપણને આપણા બહાદુર સશત્ર બળો
પર ગર્વ છે. જેઓ આંતકવાદ સામે આપણા દેશ માટે લડી રહ્યા છે. આપણે પણ આપણી ભૂમિકા નિભાવી
અને સરકારના દીશા-નિર્દેશનું પાલન કરીએ. જયારે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે હાલની
યુધ્ધની પરિસ્થિતિ માટે પાકિસ્તાનને જવાબાદર ઠેરવ્યું છે. તેણે પોસ્ટ મુકી છે કે પાકિસ્તાને
યુધ્ધનો વિકલ્પ પસંદ કર્યો છે. તેની પાસે ચૂપ રહેવાનો પણ વિકલ્પ હતો. તેઓ તેમની આતંકી
સંપત્તિ બચાવવા માંગે છે. આપણી સેના તેને ઉચિત જવાબ આપી રહી છે. જેને પાકિસ્તાન કયારે
પણ ભુલશે નહીં. સેહવાગના સાથીદાર શિખર ધવને કહ્યંy છે કે આપણી સરહદો ઘણી મજબૂત છે. જે નાપાક ડ્રોન હુમલા
વિફળ કરી શકે છે. આપણા બહાદુરોનું દિલથી સન્માન. ભારત મજબૂત છે. જયહિન્દ. અગાઉ સચિને કહ્યંy કે દેશની રક્ષા માટે અમે બધા એક ટીમ છીએ અને
પાકિસ્તાનને તેના કર્યાં ભોગવવા પડશે.