અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી)
: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્ત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો
અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ 629 કરોડ
રૂપિયા કચ્છ જિલ્લાના છ રસ્તાઓનાં કામો ફોરલેન માટે મંજૂર કર્યાં છે. મુખ્યમંત્રીએ
કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદૃઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવી જનહિતકારી નેમ
સાથે આ જે માર્ગોને ચારમાર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યાં છે તેમાં મુંદરા- લુણી-વડાલા
રોડના 4.1 કિ.મી.,
વાઈડનિંગ અને ઈપ્રૂવમેન્ટ ઓફ દેશલપર-શિરાચા રોડ 5.1 કિ.મી.,
મુંદરા-ઝરપરા-કાંડગરા- ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી.,
નવીનાળ ગામના બાયપાસ રોડના 3.3 કિ.મી.,
મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી., અને મુંદરા-ઝરપરા-કાંડગરા રોડ - 19થી 39ના
20 કિ.મી.નો સમાવેશ થાય છે. આ ફોરલેન માર્ગો બનવાના પરિણામે
ગ્રામજનો માટે મહત્ત્વપૂર્ણ અને સુવિધાયુક્ત બની રહેશે. એટલુ જ નહીં, બાયપાસ બનવાથી મુંદરા પોર્ટ અને આસપાસના
નાના-મોટા ઈન્ડસ્ટ્રીયલ કોમીર્શિયલ વિસ્તારોમાં અવરજવર કરતા ભારે વાહનો ઝડપથી અને સુરક્ષિત
માલ પરિવન કરી શકશે. આ માર્ગોનો વિકાસ થતાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રને પણ વધુ બળ મળશે
અને લોકોનું ઈઝ ઓફ લાવિંગ પણ વધશે.