• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

બે દિવસનો પ્રવાસ : સીમાવર્તી ગામોમાં સુરક્ષા સમીક્ષા,ભુજમાં અધિકારીઓ સાથે મંથન

અમદાવાદ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના પોલીસવડા ડો. કે.એલ.એન. રાવ આગામી તા. 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન પહેલીવાર કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે.  બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસવડા ભુજ ખાતે એક મહત્ત્વપૂર્ણ ક્રાઈમ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ, ભારતીય કોસ્ટગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કો-ઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે.  ડો. કે. એલ. એન. રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે. આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનાં મનોબળને વધારવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે અને તેમના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે. 

Panchang

dd