મુંદરા, 19 : અદાણી બિઝનેસ યુનિટ્સ અદાણી
સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં મુંદરા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપ
યોજાયો હતો, જેમાં અદાણીનાં વ્યવસાયિક
એકમોમાં સ્થાનિક યુવા રોજગારને પ્રોત્સાહન આપવા માટે એક સીમાચિહ્નરૂપ સમજૂતી કરાર પર
હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે કરાયેલી વ્યૂહાત્મક પહેલમાં સ્થાનિક પ્રતિભાઓને
વાસ્તવિક સમયના વ્યવસાયિક વાતાવરણમાં એકીકૃત કરવા ઓન-ધ-જોબ ટ્રાનિંગ, ઉદ્યોગ-સંકલિત અભ્યાસક્રમ અને સોર્સ- ટ્રેન-ડિપ્લોય મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા
હતા, જેનાથી લાંબા ગાળાના ફાયદાઓ થશે. જેમ કે, કચ્છની કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે અનુરૂપ કારકિર્દી માર્ગો ખૂલશે. માનવમૂડી
એકત્રીકરણ દ્વારા પ્રાદેશિક વિકાસ થશે અને અદાણીનાં વ્યવસાયિક એકમોમાં સ્થાનિક રોજગાર
માટે એક મજબૂત પ્લેટફોર્મ મળશે, એવી આશા વ્યક્ત થઇ છે. ભારતનાં
સૌથી મોટાં વાણિજ્યિક બંદર મુંદરા ખાતેના આ વર્કશોપમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ, સંલગ્ન કોલેજોના આચાર્યો
અને અદાણી સમૂહની વિવિધ કંપનીના વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અદાણી
ગ્રુપ દ્વારા કચ્છમાં રોજગારી અને પ્રાદેશિક વિકાસ વધારવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું
હતું, જેમાં ઉદ્યોગ-એકેડેમિયા સિનર્જીને પ્રોત્સાહન, માનવમૂડી એકત્રીકરણ દ્વારા પ્રાદેશિક વિકાસ અને કચ્છને આત્મનિર્ભર બનાવવાની
સાથે રાષ્ટ્રનિર્માણ સહિતના મહત્ત્વના બિંદુઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ઉદ્યોગ-શૈક્ષણિક
સહયોગને પ્રોત્સાહન આપીને અદાણી કુશળ, સશક્ત કાર્યબળ માટે માર્ગ
મોકળો કરી રહ્યા છે, જે કચ્છના આર્થિક અને સામાજિક વિકાસને આગળ
ધપાવશે. શૈક્ષણિક અભ્યાસક્રમ અને ઉદ્યોગની
જરૂરિયાતો વચ્ચેના અંતરને દૂર કરવાનો આ વર્કશોપનો ઉદ્દેશ હતો, કચ્છના યુવાનોને બંદરો, વીજળી, સૌર, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ સહિત અદાણીના વિવિધ ક્ષેત્રોમાં
ટકાઉ કારકિર્દી માટે તૈયાર કરાયેલા કૌશલ્યો સાથે સશક્ત બનાવવાનો હતો. રાષ્ટ્રીય વેપાર
માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર-મુંદરા બંદરની પૃષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમ ઉદ્યોગના નેતાઓ
અને શૈક્ષણિક હિસ્સેદારો વચ્ચે ખુલ્લા સંવાદને સરળ બનાવતો હતો.