• સોમવાર, 12 મે, 2025

પડાણા ભીમાસર માર્ગનું કામ ચાલતું હોવાથી રસ્તો 15 દિ' બંધ કરાયો

અંજાર, તા. 29 : ગાંધીધામ તાલુકાનાં પડાણા-ભીમાસર માર્ગનાં ચાલતાં કામનાં કારણે પખવાડિયા માટે બંધ કરાયો છે. વાહનોની અવર જવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ  કરવા જણાવાયું છે. હાલ અજમેરી હોટલથી એક્વાજેલ કંપની સુધી સી.સી. રોડનું કામ પ્રગતિ ઉપર છે.  કામ મજબૂતી વાળું બને તેના માટે રોડનું કામ પૂરું થાય ત્યાં સુધી આ રોડને પડાણા તરફથી બંધ કરીને વૈકલ્પિક રૂટ ઉપરથી 15 દિવસ સુધી વાહનો  ચલાવવાના રહેશે. પડાણા - ગાંધીધામ તરફથી એક્વાજેલ, કચ્છ કેમિકલ, કારગિલ, ઇન્ડિયન સ્ટીલ, ભીમાસર, પશુડા, ટપ્પર ગામો તરફ જવા માટે વરસાણા ચોકડી થઈને ભીમાસર નેશનલ હાઈ-વે બાજુ જવાનું રહેશે. તેવી જ રીતે ભીમાસર તરફથી પડાણા ગાંધીધામ, એક્વાજેલ તરફ જવા માટે વરસાણા ચોકડી તરફથી જવાનું રહેશે. આ રોડ તમામ વાહનચાલકો અને આજુબાજુનાં ગામો માટે ઉપયોગી હોવાથી કામગીરીમાં સહયોગ આપીને 15 દિવસ સુધી વૈકલ્પિક રૂટ ઉપરથી  વાહનોને ચલાવવા પડાણા અને ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા અનુરોધ કરાયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd