ગાંધીધામ, તા. 21 : દિનયાળ પોર્ટમાં કાર્ગો હેન્ડલીંગની
ક્ષમતા વધારવા માટે ચાર નવી 100 ટનની ચાર હાર્બર મોબાઈલ ક્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના
અગ્રણી મહાબંદરો પૈકીના દિનદયાલ પોર્ટ દ્વારા
સફળતા પુર્વક કાર્ગો હેન્ડલીંગમાં આ ક્રેનનો
સમાવેશ કરાયો છે. ડીપીએ ચેરમેન સુશિલકુમાર સિંઘના હસ્તે ક્રેનને કાર્યરત કરવામાં આવી
હતી. કાર્ગો જેટી rિવસ્તારમાં
205 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી આ ક્રેન થકી હેન્ડલીંગની કાર્ય
ક્ષમતા બમણી થશે અને તેમજ હેન્ડલીંગના સમયમાં પણ ઘટાડો થશે. ડીપીએ ચેરમેને કહ્યું હતું
કે અ બંદરની કામગીરીમાં ભીડ ઘટાડવા , ઉત્પાદકતા વધારવા, અને ભારતના વધતના એકઝીમ વેપારને ટેકો આપવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. નવા
નાણાકીય વર્ષની શરૂઆત પહેલા જ વિકસાવાયેલી આ સુવિધા વિવિધ શ્રેણીના કાર્ગોને હેન્ડલ
કરવામાં મહત્વની ભજવશે ડી.પી.એ આધુનીક ટેકનોલોજી
અને ગ્રીન પહેલને એકીકૃત કરવાના મિશનમાં અડગ હોવાની લાગણી આ વેળાએ વ્યકત કરાઈ હતી.