કોડાય (તા. માંડવી), તા. 19 : અહીં દરિયાકિનારા
પર બીચ ખાતે જેલી ફિશ મૃત હાલતમાં જોવા મળતાં જીવદયાપ્રેમીઓમાં દુ:ખની લાગણી ફેલાઈ
હતી. વનતંત્ર દ્વારા ત્યાંથી લઈ માંડવી પશુ દવાખાનાં ખાતે પીએમ કરાવાયું હતું. જેલી
ફિશને દરિયાકિનારેથી લેવાની કામગીરી પી. આર. સોલંકી વનરક્ષક તેમજ એસ. આઈ. પટેલ - વનપાલ
દ્વારા કરાઈ હતી. આ અંગે અગ્રણી રાણશીભાઈ ગઢવીએ સંબંધિત તંત્રને જાણ કરી હોવાનું યાદીમાં
જણાવાયું હતું. દરિયાકિનારે મૃત:પાય મળતી માછલીઓ દરિયાઈ જીવસૃષ્ટિ માટે લાલબત્તી સમાન
હોઈ આ અંગે પગલાં લેવા તેમજ પર્યટકોએ કચરો કિનારે ન ફેંકવા સહિતની તકેદારી રાખવા જણાવ્યું
હતું.