ગાંધીધામ, તા. 19 : અહીંની મહા નગરપાલિકાએ વેરા
વસૂલાત ઝુંબેશ વેગવંતી બનાવી છે. મનપાની ટીમે 33.53 લાખની બાકી રકમધારકની મિલકત જપ્ત અને સીલ કરતી ધાક બેસાડતી કાર્યવાહી
કરી હતી. શહેરના સેક્ટર-11, પ્લોટ નં.
77, 77/1 અને 94ના વર્ષ 2024-2025ના માર્ચ 2025 અંતતિ સુધીમાં 7,54,527 તથા 10,21,126 અને
15,78,024 અનુક્રમે બાકી હતી.
આ અંગે નોટિસ અપાયા બાદ બાકીદાર દ્વારા વેરાની ભરપાઈ કરવામાં આવી ન હતી. આ પ્લોટ
ઉપર કૂકવેલ ફૂડ પ્રા.લિ.આવેલી છે. મનપા એ શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ મિલકતધારકોને સત્વરે બાકી વેરા ભરવા માટે અનુરોધ કર્યો હતો.આગામી
દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી જારી રહેશે તેવુ મનપાના સત્તાધિશોએ જણાવ્યું હતું.