• મંગળવાર, 18 માર્ચ, 2025

ગાંધીધામમાં તા. 15ના ધણીમાતંગ દેવની જન્મ જયંતીએ શોભાયાત્રા નીકળશે

ગાંધીધામ, તા. 9 : કંડલા કોમ્પ્લેક્ષ મહેશ્વરી મેઘવાળ સમાજની યોજાયેલી બેઠકમાં નવી કારોબારીની રચના અને ધણીમાતંગ દેવ જન્મ જયંતિની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં નવી કારોબારીની  વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ  વિસ્તારના પ્રમુખો, ધર્મગુરૂઓઆગેવાનો ઉપસ્થિત રહ્યા  હતાં. જેમાં પ્રમુખ તરીકે બીજી વખત જીવરાજ દેવશી ભાંભીની  સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જયારે મહામંત્રી તરીકે  પ્રહલાદ ઠોટિયાની નિયુકિત કરાઈ હતી.  આ વેળાએ પ્રકાશ મારજ, કરશન દનીચારામલાલ  સિરોખા, જેઠાલાલ પાતારીયાજીતેન્દ્ર વિગોરાખીમજી સિંઘવ, કાનજી  સોલંકીહીરેન આયડી, ખીમજી દનીચા, નાગશી નોરીયા, હિરાભાઈ પિંગોલપુનમ ચુંણા, કિશોર દાફડા, અશોક ઘેલા, લક્ષમણ માતંગ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.  દરમ્યાન તા. 15 ફેબ્રુઆરીના  શનિવારે બપોરે બે વાગ્યે  ધણીમાતંગ દેવની જન્મ જયંતિએ ગાંધીધામમાં શોભાયાત્રા નીકળશે. ઓસ્લો બાબાસાહેબ આંબેડકર  પ્રતિમાથી  શોભાયાત્રા શરૂ થઈ   ગાંધીધામની મુખ્ય બજારમાં પ્રસ્થાન કરશે. જેમાં ધાર્મિક ઝાંખીઓ, ધર્મગુરૂઓ, માઘ  સ્નાન વ્રતધારીઓ, ગવરી બહેનોકળશધારી બાળાઓભાઈઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. રાત્રે જ્ઞાનકથનમહાઆરતી, કેક કાપી જન્મ જયંતિની ઉમંગે ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગાંધીધામના  મહેશ્વરી સમાજના પ્રથમ અગ્રણીઓ  રાજકીય  અગ્રણીઓ, વેપારીઓડીપીએના કામદાર અગ્રણીઓગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સહિન્દુ, મુસ્લીમ સમાજના ભાઈઓને  શોભાયાત્રામાં   ઉપસ્થિત રહેવા આમંત્રણ  પાઠવાયું છે.  તા. 16ના મહાસુદ ચોથના  રવિવારે  10 વાગ્યે  અખંડ જયોત બારમતિ પંથની આરાધના કરાશે. મહાપ્રસાદ, દાંડીયા રાસ સાથે માઘ સ્નાનની પુર્ણાહુતી કરાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd