• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

`શું ઘૂસણખોરો માટે લાલ જાજમ પાથરીએ ?'

નવી  દિલ્હી, તા. 2 : રોહિંગ્યા સમુદાયથી જોડાયેલા એક કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને અરજદાર બંનેને આકરા સવાલ કર્યા હતા. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે રોહિંગ્યાઓની કાનૂની સ્થિતિ નક્કી કર્યા વિના તેમના અધિકારો પર ચર્ચા થઈ શકે નહીં. કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો કે શું કેન્દ્ર સરકારે તેમને કયારેય પણ શરણાર્થી ઘોષિત કરેલા છે કે નહીં. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)એ આકરો સવાલ કરતાં કહ્યું હતું કે શું ઘૂસણખોરો માટે લાલ જાજમ પાથરીએ? વાસ્તવમાં સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્લા બાગચીની ખંડપીઠ એક હોબિયસ કોર્પસ અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે મે મહિનામાં દિલ્હી પોલીસે કેટલાક રોહિંગ્યા વ્યક્તિઓની અટકાયત કરી હતી જે પછી તેમની કોઈ ભાળ મળી રહી નથી. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે જો તેમને તેમના દેશ પરત જવું હોય તો એ પ્રક્રિયા કાયદા અનુસાર જ થવી જોઈએ. સુનાવણીના આરંભે જ સીજેઆઈએ કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરનામાનો અભાવને દર્શાવતાં પૂછ્યું હતું કે  ભારત સરકારનો એ કયો આદેશ છે જે તેમને `શરણાર્થી' ઘોષિત કરે છ.ઁ સીજેઆઈએ કહ્યું કે જો કોઈ પાસે કાનૂની દરજ્જો નથી તો તે ઘૂસણખોર છે. જો રોહિંગ્યા પાસે ભારતમાં રહેવાનો કાનૂની અધિકાર નથી તો તેઓ ઘૂસણખોર છે. સીજેઆઈએ કડક ટિપ્પણી કરતાં કહ્યું કે પહેલાં ઘૂસણખોરી કરવામાં આવે છે. સુરંગ ખોદીને, વાડ કાપીને ભારતમાં દાખલ થઈ જવા દેવામાં આવે છે. પછી કહેવામાં આવે છે કે હું ભારતમાં આવી ગયો એટલે મારા પર ભારતના કાયદા લાગુ થવા જોઈએ. શું આપણે કાયદાને આવી રીતે ખેંચી શકીશું? જોકે કોર્ટે એમ પણ કહ્યું કે ભારતમાં ગેરકાયદે ઘૂસી આવ્યા બાદ તેમને થર્ડ ડિગ્રી ટોર્ચર  ન આપવું જોઈએ.

Panchang

dd