• સોમવાર, 12 મે, 2025

-તો ભારત તેને `યુદ્ધ' માનશે

નવી દિલ્હી, તા. 10 (પી.ટી.આઈ.) : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સતત વધી રહી છે. સતત બે રાતથી પાકિસ્તાને ભારત પર ડ્રોનથી હુમલા કરવાના પ્રયાસ કરાયા હતા, જેને હવામાં જ નિષ્ફળ બનાવાયા હતા. દરમ્યાન, ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારના ઉચ્ચ સૂત્રો અનુસાર હવે જો આતંકવાદી હુમલા થશે તો તેને યુદ્ધ માનવામાં આવશે અને એ જ પ્રકારે તેનો જવાબ આપવામાં આવશે. આ નિર્ણયની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે આતંકવાદી ઘટનાઓ સામે લાલરેખા દોરવા માગે છે અને ગુનેગારો તેમજ કાવતરાખોરોને કડક ભાષામાં જવાબ આપવાનો તેનો ઈરાદો સ્પષ્ટ કરે છે. મોદી સરકારના આ નિર્ણયને પાકિસ્તાનને એક કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં બાવીસમી એપ્રિલે ક્રૂર આતંકવાદી હુમલામાં 26 પર્યટકનાં મોત થયાં તે પછી સરકારનો આ નિર્ણય આવ્યો છે. સરકારના નિર્ણયથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારત હવે પાકિસ્તાન દ્વારા કરાતા આતંકવાદી હુમલાને સહન કરશે નહીં. ભારત તેને `યુદ્ધનું કૃત્ય' માનીને જ આગળ વધશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd