ચંડીગઢ, તા. 9 : પાકિસ્તાને ભારત પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યા
બાદ હરિયાણા, રાજસ્થાન હાઈએલર્ટ પર છે. નેપાળ સાથે જોડાયેલા બિહારના 7 જિલ્લામાં વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
બિહારમાં પોલીસ અને સરકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. પ્રશાસન ર4 કલાક એલર્ટ મોડમાં છે. બાંગ્લાદેશ સાથે જોડાયેલી
સરહદે ર મહિના માટે રાતે 8 થી
સવારે 8 સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે. અંબાલાથી 70 કિમી દૂર નાપાક ડ્રોન દેખાયાના અહેવાલ છે. અંબાલામાં
શુક્રવારે સવારે 10 વાગ્યાથી
સતત 48 મિનિટ સુધી સાયરન વગાડવામાં આવ્યું હતું. રાજસ્થાન
પર પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ જેસલમેરમાં એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો. ટ્રેનો તરત
રોકી દેવામાં આવી હતી. બીકાનેરમાં હુમલાની આશંકાએ હોસ્ટેલ ખાલી કરાવાઈ હતી. જેસલમેરમાં
લગ્ન પ્રસંગ દિવસે જ રાખવા આદેશ અપાયો છે. અંબાલાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં
આવી છે. અંબાલાના જિલ્લા મેજિસ્ટ્રેટે આજે રાત્રે 8 થી શનિવારે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટનો આદેશ આપ્યો છે. પંજાબ અને ચંડીગઢ
પર પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ હરિયાણામાં એલર્ટ વચ્ચે ફાયર બ્રિગેડના
જવાનો સતર્ક છે. અજાણ્યું ડ્રોન જોવા મળ્યાના અહેવાલો વચ્ચે બપોર બાદ સ્થિતી સામાન્ય
રહી હતી. અંબાલામાં સાંજે 7 વાગ્યા
બાદ બજારો બંધ રહેશે. બુધવારે અને ગુરુવારે
રાત્રે પાકિસ્તાન તરફથી પંજાબ અને રાજસ્થાન પર હુમલાનો વારંવાર પ્રયાસ કરાયો હતો. મોટાભાગના
ડ્રોન અને મિસાઈલને હવામાં જ તોડી પડાયા હતા.