નવી
દિલ્હી, તા.
9 : ઓપરેશન સિંદૂરથી અકળાયેલાં પાકિસ્તાન તરફથી ફરી એક વખત યુદ્ધવિરામ ભંગની હરકત
કરવામાં આવતાં એલઓસી વિસ્તાર ગાજી ઊઠયો હતો. આજે સાંજે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારને
નિશાન બનાવીને સીમા પારથી ગોળીબારની ઘટનાઓ બની હતી. શ્રીનગર એરપોર્ટને નિશાન બનાવવા
પાકે હુમલો કર્યો હતો. શ્રીનગરમાં 15 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. એ સિવાય અવંતીપુરા, પંજાબમાં અમૃતસરમાં પણ ડ્રોન
હુમલા વિફળ બનાવાયા છે. આસેનાના સૂત્રોએ કહ્યું કે પાકિસ્તાને જાણીજોઈને નાગરિક વિસ્તારોને
નિશાન બનાવ્યા હતા. ભારતે મજબૂત જવાબ આપતાં કાશ્મીર, પંજાબ,
રાજસ્થાન અને ગુજરાત પર કરાયેલા ડ્રોન હુમલા નાકામ કર્યા હતા. દેશમાં
20 વધુ શહેર પર નિશાન સધાયું હતું. જેસલમેર સહિત
વિસ્તારોમાં ભારતીય સેનાએ પાકનાં ડ્રોન તોડી નાખ્યાં હતાં. પંજાબના ફિરોજપુરમાં ડ્રોન
પડતાં પરિવારના ત્રણ જણ ઘાયલ થયા હતા. દરમ્યાન, જમ્મુ હવાઈમથકે સાયરન વાગતાં વિસ્તારમાં અફરાતફરીની સ્થિતિ
સર્જાઈ હતી. જાણકારી અનુસાર આજે સાંજે પાકિસ્તાન તરફથી ઊરી સેક્ટરમાં ભારે ગોળીબાર
કરવામાં આવ્યો હતો. સરહદી વિસ્તારોમાં ભયનો માહોલ છે. આ પછી પાકિસ્તાને પૂંચ અને કુપવાડામાં
પણ મોર્ટાર સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. તંગધાર ઉપરાંત નૌગામ હંદવાડા સેક્ટરમાં
પણ શત્રવિરામ ભંગની ઘટનાઓ બની હતી. જમ્મુ હવાઈમથકે સાયરન વાગતાં વિસ્તારમાં અફરાતફરીનો
માહોલ હતો. સ્થાનિક લોકોએ ઉતાવળમાં દુકાનો બંધ કરી હતી અને સુરક્ષિત સ્થાનોએ રવાના
થયા હતા. રાજૌરી જિલ્લામાં તમામ દુકાનોને તકેદારીના ભાગરૂપે બંધ કરાવવામાં આવી હતી.
લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. સૈન્ય સૂત્રો અનુસાર બે આર્ટી શેલ પૂંચમા
પડયા હોવાના અહેવાલ હતા. જોકે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન
સેના દ્વારા 10થી
12 રાઉન્ડ જેટલો ભારે ગોળીબાર કરાતાં લોકોમાં ઉચાટ
હતો. સેના અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સરહદી ગામોમાં બંકર તૈયાર
રાખવામાં આવ્યા છે અને લોકોને સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું અહેવાલમાં
જણાવવામાં આવ્યું હતું.