• બુધવાર, 12 નવેમ્બર, 2025

વરસામેડીમાં બાઈક સ્લીપ થતાં મહિલાનું તત્કાળ મોત

ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાનાં વરસામેડીમાં બાઈક સ્લીપ થઇ જતાં પુષ્પાબેન નરેશભાઈ રાઠોડનું ગંભીર ઇજાઓથી તત્કાળ મોત નીપજ્યું હતું. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 1-11ના સાંજે સાત વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી નરેશ રાઠોડે પોતાના કબજાનું બાઈક ચલાવતાં સ્લીપ થઈ ગયું હતું. બાઈક સવાર મહિલાને માથાના ભાગે ઈજા થતાં સારવાર મળે તે પૂર્વે જ તેમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો, જ્યારે આરોપી ચાલકને હળવીથી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd