કોડાય (તા. માંડવી), તા. 21 : અહીં રુકમાવતી
નદીના કિનારે આવેલા સ્મશાન નીમ માટેની જમીન પરનાં દબાણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયાં
હતાં. સર્વે નં. 680 પૈકીના જમીન
પરનાં દબાણ જમીન મહેસૂલ સંહિતા કલમ-61 મુજબ દબાણકર્તાને પૂર્વ નોટિસ પાઠવી માંડવી વહીવટીતંત્ર દ્વારા
દૂર કરાયાં હતાં. સ્મશાનની માગણી સંદર્ભે નીમ કરવા માટેની જમીન પર દબાણ હોવાથી કાર્યવાહી
કરવાની ફરજ પડી હોવાનું યાદીમાં જણાવાયું હતું. કોડાય પોલીસે વ્યવસ્થા સંભાળી હતી.