• શનિવાર, 20 એપ્રિલ, 2024

દેવીસર મંદિરમાં નુકસાન કરી ધજા પાડી દેનાર સામે ફરિયાદ

ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાના દેવીસર ગામે મંદિરમાં આરસ પથ્થરના પગલાં તોડી ધજા નીચે ફગાવી દઇ ધાર્મિક લાગણી દુભાવતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. નવી દુધઇ સૂરજમલ વિહારમાં રહેનાર ફરિયાદી જગદીશ અરજણ ડાંગર અને ગામના અન્ય લોકો દેવીસર ગામે રામાપીરના મંદિરના ફેન્સિંગ કામ માટે ગયા હતા ત્યારે મંદિરના દરવાજા ખુલ્લા હતા ત્યારે અઆ તમામ લોકો મંદિરમાં જતાં ત્યાં હસન ઉમર કટિયા નામનો શખ્સ ફરિયાદી અને અન્યોને જોઇને નાસી ગયો હતો. લોકોએ મંદિરમાં જઇને જોયું ત્યારે રામદેવ પીરના મંદિરના આરસ પથ્થરના પગલાં તૂટેલી હાલતમાં હતા અને મંદિર ઉપર લગાડેલ કેસર રંગની ધજા નીચે પડેલી નજરે પડી હતી. દુધઇ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે, મંદિરના પગલાં તોડી ધજા નીચે પાડી અપમાન કરી આ શખ્સે ધાર્મિક લાગણી દુભાવી હતી. પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang