બોર્ડર વિંગના ત્રણ કર્મીને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક

બોર્ડર વિંગના ત્રણ કર્મીને મળશે રાષ્ટ્રપતિ ચંદ્રક
ભુજ, તા. 1 : પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરાવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે રાષ્ટ્રપતિના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે. પસંદગી પામેલા અનિલકુમાર છોટાલાલ ગાંધી (સુબેદાર સ્ટાફ ઓફિસર) નં. 2 બટાલિયન બોર્ડરાવિંગ-ભુજ ખાતે 1989માં હવાલદાર એકાઉન્ટન્ટની જગ્યા પર ભરતી થયા હતા. વર્ષ-2001માં નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર, વર્ષ-2021માં સુબેદાર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર)માં બઢતી મળી હતી. હાલમાંયે બટાલિયનમાં ઉપાડ અને વહેંચણી અધિકારીનો હવાલો સંભાળે છે.દિલીપાસિંહ જટુભા જાડેજા (સુબેદાર કંપની કમાન્ડર) નં. 2 બટાલિયન બોર્ડરાવિંગ-ભુજ ખાતે વર્ષ 1990માં નાયક કલાર્કની જગ્યાએ ભરતી થઇ ઉત્તરોત્તર બઢતી મળતાં 2001માં હવાલદાર કવાર્ટર માસ્ટર, વર્ષ-2010માં નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર તથા વર્ષ-2022માં સુબેદાર કંપની કમાન્ડર (વર્ગ-ર)માં બઢતી મળી હતી. હાલમાંયે બટાલિયન બોર્ડરાવિંગ પાલનપુર (બી.કે) ખાતે ફરજ બજાવી રહ્યા છે. રતનભાઇ કાળાભાઇ ભદ્રુ (હવાલદાર કવાર્ટર માસ્ટર) નં. ર બટાલિયન બોર્ડરાવિંગ-ભુજ ખાતે વર્ષ 1989માં વર્ગ-4ની જગ્યાએ ભરતી થયા બાદ વર્ષ 2010માં નાયક કલાર્કની જગ્યાએ નિમણૂક આપવામાં આવ્યા બાદ વર્ષ-2017માં હવાલદાર કવાર્ટર માસ્ટરમાં બઢતી મળી હતી. હાલમાં તેઓ નાયબ સુબેદાર કવાર્ટર માસ્ટરનો વધારાનો હવાલો સંભાળે છે. આ એવોર્ડ મળવા બદલ ત્રણે કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી. તથા બટાલિયન કમાન્ડન્ટ  સૌરભાસિંઘે અભિનંદન પાઠવ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust