જી.કે. જનરલ હોસ્પિટલને પ્રસૂતાના સુપર ક્રિટિકલ કેસમાં સફળતા મળી

ભુજ, તા. 22 : જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ગાયનેક વિભાગે નખત્રાણાની ગર્ભવતી માતાનો પાંચ વિવિધ જોખમોથી સુપર ક્રિટિકલ (અત્યંત જટીલ) બની ગયેલો કેસ જુદા-જુદા વિભાગોની મદદથી દસ દિ'ની સારવારના અંતે બચાવી લેતા ત્રીરોગ વિભાગે સીમાચિહ્નરૂપ કામ કરી દૃષ્ટાંત સ્થાપિત કર્યું હતું. નિષ્ણાત ડો. સુરભી આર્યાએ જણાવ્યું કે નખત્રાણાના 23 વર્ષીય રઝિયાબેન હોસ્પિટલમાં આવ્યા ત્યારે બી.પી. હાઈ હતું. એનેમિયા પણ હતો. ગર્ભાશયની મિલી છૂટી પડી જવાની 15 લિ. લોહીની ગાંઠ થઈ ગઈ હતી. પરિણામે બાળક મૃત્યુ પામ્યું હતું. દર્દીની કિડની ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને જો કિડની વધુ બગડે તો શરીરમાં ઝેર પ્રસરે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે. અધુરામાં પુરું હાઈ બી.પી.ને કારણે આંખને મોટું નુકસાન થયું હતું. મેડિસિન વિભાગ બાદ નેફ્રોલોજિસ્ટ ડો. હર્ષલ વોરાના માર્ગદર્શન હેઠળ ડાયાલિસીસ શરૂ કર્યું હતું. દર બીજા દિવસે એમ પાંચ ડાયાલિસીસ કરાયા હતા. જોકે હજુ એક મહિનો દર્દીને ડાયાલિસીસની સારવાર લેવી પડશે. આ દરમ્યાન આઠ બોટલ લોહી ચડાવવામાં આવ્યું અને દર્દીના ફેફસામાં પાણી ભરાઈ જવાની તેને છ દિવસ વેન્ટિલેટર ઉપર રખાયા સાથે લોહીમાં ચેપ થવાથી તેની પણ સારવાર કર્યા બાદ આંખ માટે તજજ્ઞની મદદ લઈ સઘન સારવાર કરી હતી. આટલી સારવાર સાથે દર્દીને સામાન્ય પ્રસુતિ થતાં ગાયનેક વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. સારવારમાં રેસિ. ડો. તૃપાંગી ચૌધરી, ડો. વિન્સી ગાંધી અને ડો. વૃંદા તંતી જોડાયા હતા.વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com